Votorantim પાસે તેની આચાર સંહિતા અંગેના પ્રશ્નોને ઉકેલવા, વિશ્લેષિત કરવા અને તેના વિશે જાણવા માટે એક ઑમ્બડ્ઝ્મેન છે. આ ચેનલ આંતરિક અને બાહ્ય, બંને દર્શકો દ્વારા ઍક્સેસ કરી શકાય છે.
નિષ્પક્ષ અને પારદર્શી, ઑમ્બડ્ઝ્મેન તમામ માહિતી, સામેલ લોકોના ઓળખાણની જાળવણીની અને દરેક માટે એક બેહતર વાતાવરણને પ્રોત્સાહિત કરવામાં સહયોગની ખાતરી આપે છે. આચાર સંહિતાના અર્થઘટન અંગેની શંકાઓના સમાધાન માટે અને ભ્રષ્ટાચાર અને અનૈતિક વર્તન અને પદ્ધતિઓ જેવા આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરવા, ઑમ્બડ્ઝમેનનો સંપર્ક કરી શકાય છે.
Votorantim દ્વારા પ્રાપ્ત દરેક ફરિયાદોને ગોપનીય તરીકે ગણવામાં આવશે. સદ્ભાવનામાં રિપોર્ટ કરનાર વ્યક્તિની વિરુદ્ધ કોઈપણ પ્રતિશોધને સ્વીકારવામાં આવશે નહીં.
ઑમ્બડ્ઝમેનને પ્રસ્તુત કરેલ સમસ્યાઓ જૂથનાં સંચાલનના સભ્યો દ્વારા બનાવેલ આચરણ સમિતિ દ્વારા વિશ્લેષિત કરવામં આવે છે. સંપૂર્ણતા અને ધ્યાન સાથે, આ સમિતિઓ તેમને પ્રસ્તુત કરેલ પરિસ્થિતિઓ માટે ફરિયાદ નોંધણીની પ્રક્રિયામાં આપેલ પાસકોડ મારફતે ઉકેલો શોધે છે, જેણે ફરિયાદ કરી છે તેને જવાબ પ્રદાન કરે છે પછી ભલે તેઓ પોતાને ઓળખે અથવા નહીં.
વિશ્વભરમાં Votorantim ની પ્રતિષ્ઠાને ટકાવી રાખવા માટેની તમારી સતત પ્રતિબદ્ધતા બદલ તમારો આભાર.